અમદાવાદઃ બંધારણના ગ્રંથની ગજરાજ પર શોભાયાત્રા

અમદાવાદ- ભારત દેશ સ્વતંત્ર થયાં બાદ 24 જાન્યુઆરી, 1950માં સંવિધાન સભા યોજાઇ. આ સંવિધાન સભાની યાદમાં એ વેળાએ ઉપસ્થિત મહાનુભાવોએ તસવીરો પણ પડાવી હતી. ભારતનું બંધારણ લખાયું એ ગ્રંથ અને સંવિધાન સભાની વિશાળ તસવીર સાથે ગુજરાત યુનિવર્સિટી પ્રાંગણમાં એક શોભાયાત્રા નિકળી હતી.

આ શોભાયાત્રામાં એન.સી.સી. કેડેટ ગજરાજની અંબાડી પર બેસી બંધારણ ગ્રંથને સાથે લીધો હતો. ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં શરુ થયેલી આ શોભાયાત્રા આખાય કેમ્પસમાં ઉપરાંત નજીકના વિસ્તારોમાં પણ ફરી હતી.

બંધારણ ગ્રંથની આ શોભાયાત્રામાં વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ, લેક્ચરર્સ, એન.સી.સી. કેડેટ્સ, મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.કેટલાક લોકો એ ગ્રંથને માથે લીધો હતો. સ્વતંત્રતા અને મુક્ત પણે નાગરિકત્વનો અહેસાસ કરાવતો ગ્રંથ ફેરવવા વિવિધ વેશભૂષા બેન્ડવાજા સાથે ઉત્સાહિ લોકો પણ જોવા મળ્યાં હતાં.

તસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ