એસેલ સાથે એએમસીએ મિલાવ્યાં હાથ, ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સાહસ

અમદાવાદ-  એનર્જી એફિસિયન્સી સર્વિસીસ લિમિટેડ (ઇઇએસએલ), એ ભારત સરકાર હેઠળના પાવર મંત્રાલય હેઠળનું સંયુક્ત સાહસ છે, જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની સાથે, ગુજરાત મ્યુનિસિપલ પ્રોવિન્શિયલ એક્ટ હેઠળ સ્થપાયેલી શહેરી સ્થાનિક બોડી તરીકે કામ કરશે અને 10 વર્ષના સમયગાળા દરમિયાન એએમસી વિસ્તારમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ (ઇવી) માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરશે. વિશ્વ પર્યાવરણ દિવસ 2019ના દિવસે એએમસી અને ઇઇએસએલએ સંયુક્ત રીતે દર્શાવેલી શરતો હેઠળ આવેદનપત્ર સાઈન કર્યા જેનાથી તેઓ સંયુક્ત રીતે ઝડપી થઈને ઇ-મોબિલિટીનો સ્વિકાર કરી અમદાવાદમાં 100 જેટલા જાહેર ચાર્જિંગ સ્ટેશન સ્થાપી શકે અને એએમસીના વિસ્તારોમાં ભાડાં અને ખરીદીને આધારે ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહિત કરી શકે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, અને ઇઇએસએલના વેન્કટેશ દ્વિવેદી, ડિરેક્ટર (પ્રોજેક્ટ્સ), તથા અન્ય અધિકારીઓની હાજરીમાં એમઓયુ કરાર કર્યા.

વેન્કટેશ દ્વિવેદીએ જણાવ્યું કે, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (ઇવી) એ એક ટકાઉ ભવિષ્યની તરફ આગળ વધવાના વૈશ્વિક એજન્ડામાં સૌથી અગ્રણી છે. ઇઇએસએલએ ભારત સરકારના રાષ્ટ્રિય ઇમોબિલિટી મિશન હેઠળ ભારતમાં ઇવીના પ્રોત્સાહન માટે પહેલ કરવામાં અગ્રણી છે. અમે અત્યંત ખુશ છે કે, આ વ્યાપક પ્રયાસમાં સહકાર અને તકોનો ઉપયોગ કરવા માટે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની સાથે સંયોજન કરતા ખુશ છીએ.

એમઓયુ સંબંધિત સેવાઓનું સંપૂર્ણ રોકાણ ઇઇએસએલ દ્વારા લેવામાં આવે છે, તેની સાથોસાથ લાયકાત ધરાવતા મેનપાવર દ્વારા જાહેર ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઓપરેશન અને મેઇન્ટેનન્સ થશે, જ્યારે એએમસીએ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે સ્થળની ફાળવણી કરવી અને ચાર્જિંગ માળખા માટે આવશ્યક પાવર કનેક્શનની જોગવાઈની સાથે લોડ સેન્શન અને મીટર જોડાણ આપવું. આ ઇવીની મદદથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)એ પ્રતિવર્ષ કાર દિઠ, 4.46 ટનથી પણ વધુ કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જન માં ઘટાડો થશે.

જાહેર ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના રાજ્યમાં એક ટકાઉ ઇવી ઇકોસિસ્ટમ સ્થાપવા માટેના કાયદાકીય પ્રયાસોને મદદ કરશે. જાહેર ચાર્જિંગ સ્ટેશનની આ સ્થાપનાની સાથે, શહેરમાં રેન્જની ચિંતા ઓછી થવાની શક્યતા છે અને તેનાથી શહેરમાં ઇવીને સ્વીકારવામાં મદદ થશે. આ ઉપરાંત, તેનાથી રાજ્ય સ્તરે ઇવી સ્વીકારને વધારવાના લક્ષ્યાંકને પહોંચવામાં મદદ મળશે. ઇવીના ઉંડાણ પૂર્વકના વિસ્તરણની સાથે, સ્થાનિક સ્તરના પ્રદૂષણ ઉત્સર્જનમાં પણ ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી જાહેર જનતા માટે સ્વચ્છ હવા મળતાં ઘણાં આરોગ્યના લાભો મળશે.

ઇઇએસએલના ઇવી પ્રોગ્રામ હેઠળ, ઇઇએસએલે 10,000 ઇ-કારના ઉત્પાદન માટે ટેન્ડરની પ્રક્રિયા પૂરી કરી છે. આજની તારીખ સુધીમાં દેશમાં 1408 ઇ-કાર બહાર આવી ગઈ છે અને તે નોંધણી/ફાળવણીની પ્રક્રિયા હેઠળ છે. ઇ-કારના ચાર્જિંગ માટે, 286 એસી અને 142 ડીસી ચાર્જરની પણ સ્થાપના કરવી જરૂરી છે. ઇઇએસએલએ ઘણી પીએસયુ, સરકારી ખાતા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને તેલંગના રાજ્ય સરકારની સાથે કરારો સાઈન કર્યા છે.