સીએમ રૂપાણીએ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના મુલાકાતીઓની મુશ્કેલીઓ જાણી…

નર્મદા- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે શુક્રવારે કેવડીયા કૉલોનીના સાધુબેટ પર નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ની મુલાકાત લીધી હતી  અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ થયાને એક મહિનો વીતી ગયો છે, જેમાં મુલાકાતીઓને પડતી અનેક મુશ્કેલીઓની સીએમ રૂપાણીએ ચર્ચા કરી હતી. અને કેટલાક સૂચનો કર્યા હતા.કેવડીયા ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’’ ની મુલાકાત દરમ્યાન સીએમ રૂપાણીએ મુલાકાતીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો, અને તેમને પડતી અગવડ અંગેની વિગતો જાણી હતી. સીએમ રૂપાણીએ સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા-સ્ટેચ્યૂ ઓફ યુનિટીના આકર્ષણનું કેન્દ્ર વેલી ઓફ ફ્લાવર્સની પણ મુલાકાત હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’’ #StatueOfUnity ખાતે નિર્માણ પામી રહેલ શ્રેષ્ઠ ભારત ભવનના કામની પ્રગતિ જોવા માટે પણ ભારત ભવનની મુલાકાત લીધી હતી.વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’’ #StatueOfUnity ખાતે સ્થાનિક ગાઇડ ભાઇ-બહેનો સાથે વાર્તાલાપ કર્યો હતો. કેવડીયા ખાતે સ્વાગત ભવન અને રેવા ભવનની મુલાકાત લીધી હતી.

કેવડીયા ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. પ્રવાસીઓ સાથે ઉષ્માસભર વાર્તાલાપ કરીને તેમની મુશ્કેલીઓ જાણીને અધિકારીઓને તે મુશ્કેલીઓ દૂર કરવા તાકીદ કરી હતી.

સીએમ રૂપાણીની મુલાકાતના અંશઃ

–     સાધુબેટ કેવડીયામાં વિવિધ પ્રવાસન સુવિધાઓનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું, કચરો એકઠો થવા મુદ્દે ખખડાવ્યાં

–     યાત્રી સુવિધા-સવલતોનો વ્યાપ વિસ્તારવા સૂચનાઓ આપી

–     કેવડીયાને વિશ્વ પ્રવાસનધામ બનાવવા, વર્લ્ડ કલાસ સુવિધા વિકસાવવા માર્ગદર્શન, સ્થાનિક યુવાનોની ગાઇડસ તરીકેની કામગીરી નિહાળી પ્રેરણાદાયી સૂચનો આપ્યા

–     આગામી મહિનામાં ડી.જી.પી કોન્ફરન્સના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્દઘાટન કાર્યક્રમની વ્યવસ્થાની સમીક્ષા કરી

–     વિજયભાઇ બન્યા સી.એમ-કોમનમેન

સીએમ વિજય રૂપાણીએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નિહાળવા આવેલા વિદેશી-અન્ય રાજ્યોના પ્રવાસીઓ સાથે ગૃપ ફોટો-સેલ્ફી અને સહજ સંવાદ કર્યો હતો. રૂપાણીએ વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે મુલાકાત લઇને વિવિધ પ્રવાસન સવલતોનું નિરીક્ષણ કર્યુ હતું.મુખ્યપ્રધાન સાથે મુખ્યસચિવ ડૉ. જે. એન. સિંહ અને સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન રાઠૌર  તેમજ વરિષ્ઠ સચિવો-અધિકારીઓ સાથે કેવડીયા પહોચ્યા હતા. વેલી ઓફ ફલાવર્સ, ટેન્ટસિટી, એક ભારત શ્રેષ્ઠ ભારત ભવન નિર્માણ સ્થળ, વોલ ઓફ યુનિટી તેમજ પરિસરના મ્યૂઝિયમ વગેરે સ્થળોએ પ્રવાસન આકર્ષણ સંદર્ભમાં સ્વચ્છતા અને સુવિધાઓની જાળવણી અંગે તેમણે ગહન ચર્ચાઓ કરી માર્ગદર્શન આપ્યુ હતું.

મુખ્યપ્રધાને પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કેવડીયા ખાતે આગામી ર૦ થી રર ડિસેમ્બર દરમ્યાન દેશના રાજ્યોના પોલીસ મહાનિદેશકો – ડી.જી.પી. કોન્ફરન્સ યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ કોન્ફરન્સનું ઉદ્દઘાટન કરશે તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ઉપસ્થિત રહેવાના છે.

આ ડી.જી.પી. કોન્ફરન્સના સંદર્ભમાં પણ પૂર્વતૈયારીઓ અને વ્યવસ્થાની સમીક્ષા રૂપાણીએ કરી હતી. મુખ્યપ્રધાને કહ્યું કે, દિવાળીના તહેવારો દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રોજ ૩૦ હજારથી વધુ પ્રવાસીઓ આવતા હતા. આ પ્રવાસીઓને વ્યવસ્થામાં જે મુશ્કેલી પડી તેનું પણ નિવારણ લાવી પ્રવાસન સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા સંબંધિત વિભાગો અને જિલ્લાતંત્રને સ્પષ્ટ  સૂચનાઓ આપી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત દરમિયાન ન્યુઝીલેન્ડ, ન્યુયોર્ક, કેનેડાના પ્રવાસીઓનું ખૂબ જ ઉત્સાહપૂર્વક અભિવાદન તેમણે ઝીલ્યું હતુ. મુખ્યપ્રધાને આ સૌ પ્રવાસીઓને મીઠો આવકાર આપી પ્રવાસીઓના ખબરઅંતર પૂછ્યા હતાં. બનારસ, નૈનિતાલ, બેંગ્લોર, ગૌહાટી, ઓરિસ્સા, કેરાલા, મહારાષ્ટ્રા ઉપરાંત ગુજરાતના આણંદ, ભાવનગર, નડીયાદ, જંબુસર વગેરે શહેરોના પ્રવાસીઓને આજે મુખ્યપ્રધાન સી.એમ. કોમનમેનની જેમ સામે ચાલીને ગૃપ ફોટો આપતાં આ તમામ પ્રવાસીઓ મુખ્યપ્રધાનના પ્રજા સાથેના સહજ વાત્સલ્ય ભાવથી પ્રસન્ન થયા હતા.

મુખ્યપ્રધાને સ્વાગત કક્ષના પરિસરમાં પ્રવાસીઓ માટે ગાઇડ તરીકે સેવાઓ આપી રહેલા ગાઇડસ તાલીમાર્થીઓના વર્ગખંડની મુલાકાત લઇ સંવાદ કર્યો હતો. પ્રવાસી મુલાકાતીઓને અપાતી સમજનું નિદર્શન નિહાળ્યું હતું. તેમણે ગાઇડસને ભાવનાત્મક રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના અન્ય આકર્ષણોની સમજ પૂરી પાડવા અને પ્રવાસીઓ જાણકારી માટે ગાઇડસ જકડી રાખે તેવી પરિસ્થિતીનું નિર્માણ કરવાની શીખ આપી હતી.

મુખ્યપ્રધાને પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લઇ જવા માટે બસોની સુવિધા વધારવા માટે આગામી જાન્યુઆરી માસથી વધારાની બસો શરૂ કરવા, ફૂડ કોર્ટ ખાતે પ્રવાસીઓને ગુજરાતી, પંજાબી અને સાઉથ ઇન્ડીયન ખાન-પાન મળી રહે, વ્યુ પોઇન્ટ ખાતે ટ્રેડીશનલ વસ્તુઓના વેચાણ સ્ટોલ, બોટીંગની સુવિધા, અન્ય રાજ્ય તથા વિદેશી પ્રવાસીઓને સરદાર સાહેબના જીવનને ભાવાત્મક રીતે સમજાવી શકે તે માટે અંગ્રેજી-હિન્દીના જાણકાર ગાઇડસની વ્યવસ્થા કરવા સહિત જરૂરી કેટલીક રચનાત્મક સૂચનો કર્યા હતાં.

મુખ્યપ્રધાને આ વ્યવસ્થાઓ વ્યાપક બનાવવા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને માર્ગદર્શક સૂચનો કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આ પ્રવાસનધામ વિશ્વ પ્રવાસન કેન્દ્ર બનવાનું, છે ત્યારે અહિં વર્લ્ડ કલાસ સુવિધાઓ ઊભી કરવા માટે પણ બેઠકમાં માર્ગદર્શન આપ્યુ હતું. જળસંપત્તિ અને પંચાયત વિભાગના અગ્ર સચિવ એ. કે રાકેશ, નર્મદા નિગમના જોઇન્ટ એમ.ડી. સંદીપકુમાર, જિલ્લા પ્રભારી સચિવ એસ. જે. હૈદર, જિલ્લા કલેક્ટર આર. એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, નર્મદા યોજના પુનવર્સનના કમિશનર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના એડમીનીસ્ટ્રેટર આઇ. કે. પટેલ, પ્રવાસન નિગમના એમ.ડી. જેનુ દેવન વગેરે આ વેળાએ જોડાયા હતાં.