માંગરોળ– મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના સાગરખેડુ માછીમાર પરિવારો માટે માંગરોળમાં જાહેરાત કરતાં કહ્યું કે પાકિસ્તાન જેલમાં બંધક માછીમારના મૃત્યુના કિસ્સામાં રાજ્ય સરકાર તેના પરિવારજનોને 4 લાખ રુપિયાની સહાય આપશે.. માછીમારી દરમિયાન ગુમ કે લાપતા થવાના કિસ્સામાં અગાઉ મૃત્યુ સહાય આપવામાં 7 વર્ષનો સમય થતો હતો તે 1 વર્ષ માં જ આપી દેવાશે. આવા લાપતા કે ગૂમ માછીમારના પરિવાજનોને પણ 4 લાખની સહાય અપાશે.સીએમ વિજય રૂપાણીએ માગરોળમાં બંદર વિકાસકામોની કેટલીક જાહેરાતો કરી છે
માંગરોળ માટે કુલ રૂ. 1,173 કરોડના મૂલ્યના વિકાસકાર્યોની જાહેરાત
રૂ.૨૯૪ કરોડના ખર્ચે નવાબંદર ફિશિંગ હાર્બર
નવાબંદરમાં રૂ. 294 કરોડના ખર્ચે 22 હેક્ટર ઓનશોર અને ઓફશોર જમીનમાં યુરોપિયન યુનિયનના ધારાધોરણો અનુસારનું ફિશિંગ હાર્બર. આ હાર્બર 1,000 બોટને સમાવી શકશે.
કુલ રૂ. ૮૮૦ કરોડના ખર્ચે માઢવાડ, પોરબંદર ફેઝ-૨, વેરાવળ ફેઝ-૨, અને સૂત્રાપાડા ખાતે ફિશિંગ હાર્બર
રૂ. 160 કરોડના ખર્ચે માઢવાડમાં 22 હેક્ટરમાં ફિશિંગ હાર્બર બનશે, જેમાં કુલ 569 બોટ લાંગરી શકશે
રૂ. 146 કરોડના ખર્ચે સૂત્રાપાડામાં 15 હેક્ટર જમીન ઉપર ફિશિંગ હાર્બર બનશે.
આ ફિશિંગ હાર્બર 1,200 બોટને ધ્યાનમાં રાખીને બનશે.
રૂ. 200 કરોડના ખર્ચે વેરાવળના વર્તમાન ફિશિંગ હાર્બરના વિકાસનો દ્વિતીય તબક્કો હાથ ધરાશે.
વેરાવળમાં 4500 બોટ લાંગરી શકે એવી રીતે ફેઝ-2ની રચના
રૂ. 373 કરોડના ખર્ચે પોરબંદર ફિશિંગ હાર્બરના વિસ્તરણનો દ્વિતીય તબક્કો હાથ ધરાશે
આ તબક્કો 4,500 બોટને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કર્યો છે