24થી 26 માર્ચ તમામ લોકસભા બેઠકો પર ભાજપનું ‘વિજય સંકલ્પ સંમેલન’ યોજાશે

ગાંધીનગર-  આગામી લોકસભા ચૂંટણીનીને લઈને ૨૪ થી ૨૬ માર્ચ, ૨૦૧૯ દરમિયાન ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર ભાજપ દ્વારા ‘‘વિજય સંકલ્પ સંમેલન’’ નું આયોજન કરવામાં આવ્યું છે.

‘‘ન્યુ ઇન્ડિયા’’ના નિર્માણમાં ભાજપની સાથે સાથે લોકભાગીદારીને પણ સાંકળી શકાય તેવા હેતુસર, ‘‘મેરા દેશ બદલ રહા હૈ’’ની લોકભાવના ઉજાગર કરવા આ વિજય સંકલ્પ સંમેલનમાં બૂથ લેવલના કાર્યકર્તાઓથી શરૂ કરીને તમામ શ્રેણીના હોદ્દેદારો, પ્રધાનો અને સંગઠનના પદાધિકારીઓ તથા સમર્થકો આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે.

આ વિજય સંકલ્પ સંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ૨૪ માર્ચના રોજ મહેસાણા ખાતે, ૨૬ માર્ચના રોજ સાબરકાંઠા લોકસભા બેઠકો પર માર્ગદર્શન આપશે. જ્યારે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી ૨૪ માર્ચના રોજ સુરેન્દ્રનગર, વડોદરા અને પોરબંદર લોકસભા બેઠકો પર, જ્યારે કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુ રાજકોટ ખાતે, કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલા સુરત, બનાસકાંઠા અને રાજકોટ લોકસભા બેઠકો પર તથા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા જુનાગઢ અને ભરૂચ લોકસભા બેઠકો પર અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ૨૪ માર્ચના રોજ મહેસાણા, ૨૫ માર્ચના રોજ પાટણ અને ૨૬ માર્ચના રોજ જામનગર લોકસભા બેઠકો પરના વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.