બિટકોઇન કૌભાંડઃ પૂર્વ MLA નલીન કોટડીયા સામે બિનજામીનપાત્ર વોરંટ છૂટ્યું

અમદાવાદ: બિટકોઇન તોડકાંડ મામલે ભૂગર્ભમાં ઉતરી ગયેલાં નલીન કોટડીયા સામે બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે આ વોરંટ ઇશ્યૂ કર્યું છે.સૂરતના વ્યવસાયીના અપહરણ અને છૂટકારા સાથે શરુ થયેલ બિટકોઇન કૌભાંડનો રેલો આખરે પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાના પગ તળે પહોંચી ગયો છે.અમરેલી એસપી સહિત છ અન્ય પોલિસ કર્મચારીઓને સંડોવતાં આ કૌભાંડમાં 12 કરોડની ખંડણીના કેસમાં ગુજરાત પોલિસ અને રાજકીય વર્તુળોમાં મોટો ખળભળાટ મચેલો છે. એસપી જગદીશ પટેલની ધરપકડ બાદ મળેલાં પુરાવાઓ અને માહિતીમાં નલીન કોટડીયાનું નામ બહાર આવ્યું હતું અને ત્યારથી લઇને કોટડીયા ભૂગર્ભમાં ઊતરી ગયાં છે અને અજ્ઞાત સ્થળેથી વિવિધ માધ્યમો દ્વારા પોતાનો પક્ષ મૂકતાં રહ્યાં છે.