ગુજરાત વિદ્યાપીઠ પાસે ફાયરીંગ, આંગડીયા પેઢીના કર્મચારીનું મોત

અમદાવાદઃ અમદાવાદથી મહેસાણા જઈ રહેલા આંગડીયા પેઢીના કર્મચારી પર ગુજરાત વિદ્યાપીઠ પાસે ફાયરીંગ થયું છે. બાઈક પર આવેલા ચાર જેટલા શખ્સોએ 5 રાઉન્ડ ફાયર કર્યા હતા. ફાયરીંગ બાદ તુરંત આંગડીયા પેઢીના કર્મચારીને સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

લૂંટના ઈરાદે ફાયરીંગ કરવામાં આવ્યું હોવાની વાત પ્રકાશમાં આવી છે. ઘટના બાદ તુરંત જ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એફએસએલની ટીમ દ્વારા ઘટના સ્થળ પર આવીને તપાસ શરૂ કરવામાં આવી હતી.(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)