વિધાનસભામાં 7 બિલ રજૂ થવાની સંભાવના, કોંગ્રેસની સાયકલ રેલી

ગાંધીનગર– ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રના બીજા દિવસે ગૃહમાં પૂરજોશ કામગીરી કરવામાં આવી શકે છે. મળતી માહિતી પ્રમાણે વિધાનસભા સત્રના બીજા દિવસે કુલ 7 વિધેયક રજૂ કરવામાં આવશે.
મંગળવારે કોંગ્રેસનો વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ પોલિસ કાર્યવાહીને લઇને વિવાદી બની રહ્યો હતો ત્યારે સદનની અંદર કોંગ્રેસ ગૃહની કાર્યવાહી દરમિયાન ભારે વિરોધ કરે તેવી પૂરી સંભાવના છે.

વિધાનસભા ગૃહમાં સવારે 9.30 વાગ્યે વિધાનસભા સત્રશરૂ થશે અને સાંજે 7.30 વાગ્યે પૂર્ણ થશે.

દરમિયાન આજે સવારે 8.30 વાગે કોંગ્રેસના ધારાસભ્યો એમ.એલ.એ. ક્વાટર્સથી સાયકલ રેલી યોજવાનો કાર્યક્રમ આપનાર છે.કોંગ્રેસની આ સાયકલ રેલી સચિવાલય સુધી જશે અને પેટ્રોલ ડીઝલ ના ભાવ વિરોધમાં પોસ્ટરો અને સૂત્રોચ્ચાર કાર્યક્રમ કરશે.

મંત્રીઓ, ધારાસભ્યોનો પગાર વધ્યો
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પગાર ભથ્થામાં વધારાનું બિલ રજૂ કરતાં તમામ સભ્યોએ ટેકો આપતાં પસાર થયું હતું. ​છેલ્લે 2005માં પગાર વધારો કરાયો હતો. ભાજપ કોંગ્રેસ સહિતના ધારાસભ્યોએ ટેકો આપતાં પગાર વધારો કરાયો. ધારાસભ્યોને અત્યાર સુધી 70727 પગાર મળતો હતો જે હવેથી 80826 પગાર મળશે.

મગફળી કૌભાંડમાં સરકારે ભૂલ સ્વીકારી
મગફળી કૌભાંડ મામલે ચૂક થઇ હોવાની સરકારે વિધાનસભામાં કરી કબૂલાત. મગફળીની 31 હજાર જેટલી બોરીમાં ભેળસેળ થયાનો સરકારે કરી કબૂલાત. આ ઉપરાંત નલીયા કાંડની તપાસમાં પણ ચૂક રહી હોવાનો પણ સરકારે કેટલેક અંશે સ્વીકાર કર્યો હોવાનું સામે આવ્યું છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીની કર્મભૂમિમાં ખેડૂતની આત્મહત્યા

ભાવનગર જીલ્લામાં પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતે આપઘાત કર્યો હોવાનો ખુલાસો પાક નિષ્ફળ જવાના ડરથી આપઘાત કર્યો હોવાનું સરકારે સ્વીકાર્યું હતું.

સુરત એરપોર્ટના વિસ્તરણ અંગે પણ વિધાનસભામાં પૂછ્યો પ્રશ્ન

18 પ્રોજેક્ટો સુરત એરપોર્ટના વિસ્તારણમાં અવરોધ કરી રહ્યાનો સરકારનો રિપોર્ટ. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલયને રાજ્ય સરકારે 29 જાન્યુઆરીના રોજ રિપોર્ટ કરી જાણ કરવામાં આવી છે.

પરેશ ધાનાણી – આખરે રોરો-ઘોઘા ફેરી સર્વિસ શરૂ કયારે થશે ? 2019 પછી ? લોકો રડી રહ્યાં છે.

વિજય રૂપાણી – આખા ભારતમાં પ્રથમ વખત આવી સર્વિસ શરૂ થઈ છે. સર્વિસને કારણે પેટ્રોલ અને ડીઝલનો બચાવ થશે. ચોમાસું પુરૂ થશે અને નોરતાંના સમયે ફરીથી શરૂ થશે. રડવાનો સમય પુરો થયો અને હસવાનો સમય શરૂ થશે. જો રો-રો ફેરી સર્વિસમાં એકવાર સફળ થઈએ તો આગામી સમયમાં ગુજરાતથી મુંબઇ સુધીના સાતે-એક રૂટ શરૂ કરવાનું આયોજન છે.

ઘોઘા દહેજ રો-રો ફેરીનો વીમો મળી જાય પછી ચાલુ થઈ જશે

615 કરોડની પ્રોજેક્ટ ખર્ચ હતો તે વિલંબ થતાં એસ્સાર કંપનીને 44 કરોડની પેલન્ટી કરવામાં આવી હોવાનું ગૃહમાં સૌરભ પટેલ માહિતી આપી હતી. મંત્રીએ દાવો કર્યો હતો કે હજુ ચાલુ થયા બાદ દંડની રકમ નક્કી કરવામાં આવશે. રો-રો ફેરી સર્વિસ શરૂ થયા બાદ દિવસમાં ત્રણ સમય ચલાવવામાં આવશે. રો-રો ફેરી સર્વિસની સેવા શરૂ થયા બાદ દરિયાના અન્ય વિસ્તારોમાં પણ શરૂ કરવાનો વિચાર કરવામાં આવશે.

મુખ્યપ્રધાને ફરી એકવાર ગૃહમાં ઉભા થઇ આપ્યો જવાબ

આગામી દિવસોમાં રો-રો ફેરીની જેમ નવા 7 થી 8 રૂટ અને નવા વેસલ્સ શરૂ થશે. કચ્છ અને સૌરાષ્ટ્રના ભાવનગર, જામનગર, સહિતના જિલ્લાઓને પણ જોડવામાં આવશે. આગામી સમયમાં રૂટને મુંબઇ સાથે જોડવાનું પણ આયોજન. કેટલીક એજન્સીઓની ધીમી કામગીરી થઈ છે તેને પેનલ્ટી કરવામાં આવશે. રાજ્યના ઇકોનોમિક ગ્રોથ માટે મહત્વનો પ્રોજેકટ ગણાવ્યો હતો.

હેલ્થ લીકર પરમીટ હવે બનશે મોંઘી

– અગાઉ હેલ્થ પરમીટના 50 અને આરોગ્ય તપાસની ફી 500 રૂપિયા હતી, હવે હેલ્થ પરમીટની ફોર્મ ફી રદ્દ કરી પણ હેલ્થ પરમીટ પ્રોસેસ ફી 2000 અને આરોગ્ય તપાસ ફી 2000 કરવામાં આવી.

– રાજ્યમાં 26 એરિયા મેડિકલ બોર્ડ રદ્દ કરી.અમદાવાદ ગાંધીનગર રાજકોટ ભાવનગર વડોદરા અને સુરત એમ 6 એરિયા મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી.

ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્યોની સાયકલ રેલી યોજી હતી. મોંઘવારી અને ખેડૂતોના દેવામાફી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અત્યારે માલવાહક સાયકલ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા તરફ જઈ રહ્યાં છે.

CM વિજય રૂપાણી દ્વારા ભાજપના સભ્યોને વિધાનસભા ગૃહમાં ફરજિયાત હાજરી અંગે વ્હીપ રજૂ કરવામાં આવ્યો છે. વિધેયક, સરકારી કામકાજના કારણે વ્હીપ જાહેર કરાયો છે. અવિશ્વાસની દરખાસ્તમાં સરકાર તરફી મતદાન કરવા આદેશ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સચિવાલયના ગેટ નં.1 પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.