આધાર નંબર સાચો છે કે નહીં, આમ કરો વેરિફાઈ

નવી દિલ્હીઃ દેશમાં આધારકાર્ડને લગભગ મોટાભાગના કામો માટે અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. જો નવું સિમકાર્ડ લેવા માટે જાઓ છો તો પણ તમારે આધારકાર્ડ સાથે તેને લિંક કરાવવું પડે છે. આધારકાર્ડ વગર ઈનકમ ટેક્સ રીટર્ન પણ ફાઈલ નથી કરી શકાતું. ત્યારે આપને એ જણાવીશું કે કેવી રીતે જાણી શકશો કે તમારો આધાર નંબર સાચો છે કે નથી એટલે કે તમારો આધાર નંબર ક્યાંક કેન્સલ તો નથી કરી દેવામાં આવ્યો ને તે વાત પણ જાણવી જરૂરી બની જાય છે.

આધારકાર્ડ વેરિફાઈ કરવા માટે તમારે પહેલા તો આધારકાર્ડની વેબસાઈટ uidai.gov.in ખોલવી પડશે. આ વેબસાઈટનું પેજ ખુલ્યા બાદ પેજ પર એક જગ્યાએ આધાર સર્વિસ લખેલું જોવા મળશે. આની નીચે કોઈ વિકલ્પ આપવામાં આવ્યા નથી. તમારે તેમાં પહેલા વિકલ્પ, “વેરિફાઈ આધાર નંબર” પર ક્લિક કરવું પડશે. અહીંયા ક્લિક કરતા જ એક નવું પેજ ખુલશે. આ પેજ પર તમારે તમારો આધાર નંબર લખવાનો રહેશે. આ સિવાય એક સિક્યોરિટી કોડ પણ નાંખવો પડશે જે પેજ પર લખેલો જ હશે. આ બંન્ને નંબર નાંખ્યા બાદ નીચે આપવામાં આવેલા વેરિફાઈના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. અહિંયા ક્લિક કર્યા બાદ એક લીલા રંગનુ રાઈટનુ નિશાન આવે તો માનવું કે તમારો આધાર નંબર સાચો છે પરંતુ જો લાલ રંગનુ નિશાન આવે તો સમજવું કે તમારો આધાર નંબર કેન્સલ થઈ ગયો છે.

આપને જણાવી દઈએ કે તમામ મોબાઈલ યુઝર્સને પોતાના મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરાવવો અત્યંત જરૂરી બની જાય છે. મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2018 છે. ઈનકમ ટેક્સ ફાઈલ કરાવવા માટે આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવેલું હોવું જરૂરી છે. આધાર અને પાનકાર્ડને લિંક કરાવવા માટીની સમય મર્યાદા વધારીને 31 ડિસેમ્બર 2017 સુધી કરવામાં આવી છે. સરકારી યોજનાઓ અંતર્ગત લાભ મેળવવા માટે આધારકાર્ડને બેંકના ખાતા સાથે લિંક કરાવવું પણ અનિવાર્ય બની ગયું છે. પેન્શન, એલપીજી સિલીન્ડર, સરકારી સ્કોલરશિપ, વગેરે માટે આધારકાર્ડની જાણકારી આપવી અત્યંત જરૂરી છે. સરકારે હવે ડ્રાઈવઈન લાયસન્સ માટે પણ આધારકાર્ડ અનિવાર્ય કર્યું છે જેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2017 છે.