રિલાયન્સે રજૂ કર્યા પરિણામઃ Q1માં આવક 13.2 ટકા વધી, નફો 2.5 ટકા ઘટ્યો

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2020 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. જે મુજબ પ્રથમ ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો એકત્રીકૃત નફો 2.5 ટકા ઘટીને રૂ. 10,104 કરોડ થયો હતો. નાણાકીય વર્ષ 2019ના ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એકત્રીકૃત નફો રૂ. 10,362 કરોડ રુપિયા રહ્યો હતો.

2020ના નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંયુક્ત આવક 13.2 ટકા વધીને રૂ. 1.57 લાખ કરોડ થઈ હતી. નાણાકીય વર્ષ 2019ના ચોથા ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંયુક્ત આવક રૂ. 1.38 લાખ કરોડ થઈ હતી.

પ્રથમ ક્વાર્ટરમાં, કંપનીનો જીઆરએમ (ગ્રોસ રિફાઇનિંગ માર્જિન) અગાઉના ક્વાર્ટરમાં 8.20 ડોલર પ્રતિ બેરલ ઘટીને 8.10 ડોલર પ્રતિ બેરલ થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પ્રથમ ક્વાર્ટર જીઆરએમ નાણાકીય વર્ષ 2015ના ત્રીજી ક્વાર્ટર પછી સૌથી નીચાસ્તરે રહ્યો છે.

ક્વાર્ટરના પ્રથમ ક્વાર્ટરમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું કન્સોલિડેટેડ એબિટડા માર્જિન 15 ટકાથી ઘટીને 13.6 ટકા થયું છે અને કન્સોલિડેટેડ એબિટડા માર્જિન રૂ. 20832 કરોડથી વધી 21315 કરોડ રૂપિયા થઈ ગયું છે

પ્રથમ ક્વાર્ટરમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પેટ્રોકેમિકલ બિઝનેસની આવક 11.3 ટકા ઘટીને રૂ. 37,611 કરોડ થઇ હતી, જે નાણાકીય વર્ષ 2019ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 42,414 કરોડ હતો. પ્રથમ ક્વાર્ટરમાં, કંપનીનો પેટ્રોકેમિકલ બિઝનેસ રૂ. 9,361 કરોડથી ઘટીને રૂ. 8,810 કરોડ થયું છે. આ સમયગાળા દરમિયાન, કંપનીના પેટ્રોકેમિકલ બિઝનેસ અગાઉના ક્વાર્ટરમાં 22.1 ટકા વધીને 23.4 ટકા થઈ ગયાં છે

પ્રથમ ક્વાર્ટરમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના છૂટક વ્યવસાયની આવક 47.5% વધીને રૂ. 38,196 કરોડ થઈ ગઈ છે, જે 2019ના નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં રૂ. 25,890 કરોડ હતી. પ્રથમ ક્વાર્ટરમાં, કંપનીનો છૂટક વેપાર 1,206 કરોડથી વધીને રૂ. 2,049 કરોડ થયો છે. આ સમયગાળા દરમિયાન, કંપનીનો છૂટક વેપાર અગાઉના ક્વાર્ટરમાં 4.66 ટકાથી વધીને 5.36 ટકા થયો છે

પ્રથમ ક્વાર્ટરમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિફાઇનિંગ બિઝનેસમાંથી આવક 15.8 ટકા વધીને રૂ. 1.01 લાખ કરોડ થઈ છે, જે વર્ષ 2019ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 87,804 કરોડ હતી. પ્રથમ ક્વાર્ટરમાં, કંપનીનો રિફાઇનિંગ વ્યવસાય 4,964 કરોડથી વધીને રૂ. 5152 કરોડ થયું છે. આ સમયગાળા દરમિયાન, કંપનીનો રિફાઇનિંગ વ્યવસાય અગાઉના ક્વાર્ટરમાં 5.65 ટકાથી ઘટીને 5.06 ટકા થયું છે.

જિઓનો હિસાબ…

2020ના નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં, અગાઉના ત્રિમાસિક ગાળાના રૂ .840 કરોડથી રિલાયન્સ જિઓનો નફો 6.1% વધીને રૂ. 891 કરોડ થયો હતો. પ્રથમ ક્વાર્ટરમાં, રિલાયન્સ જિઓની આવક અગાઉના ક્વાર્ટરની 11,106 કરોડ રૂપિયાથી 5.2 ટકા વધીને રૂ. 11,679 કરોડ થયો હતો.

ત્રિમાસિકગાળાના પ્રથમ ક્વાર્ટરમાં, રિલાયન્સ જિઓનો એબિટડા 4,329 કરોડથી 4મ686 કરોડ રૂપિયા વધ્યો છે. ત્રિમાસિક ગાળાના આધારે રિલાયન્સ જીઓનું એબીઆઇટીડીએ માર્જિન પ્રથમ ક્વાર્ટરમાં 39 ટકાથી વધીને 40.1 ટકા થયું છે. આ સમયગાળામાં અગાઉના ક્વાર્ટરમાં કંપનીના ગ્રાહકોની સંખ્યા 30.67 કરોડ હતી તે વધીને 33.13 કરોડ થઈ છે. પ્રથમ ક્વાર્ટરમાં, રિલાયન્સ જિઓ પાસે ગ્રાહકદીઠ આવક 122 રૂપિયાની (એઆરપીયુ) છે.