ભારતીય નાગરિકોની માથાદીઠ આવકમાં વધારોઃ કેન્દ્રીય પ્રધાન

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન વિજય ગોયલે સંસદમાં ભારતના નાગરિકોની માથાદીઠ આવકને લઈને એક નિવેદન આપ્યું છે. વિજય ગોયલે જણાવ્યું કે ભારતના લોકોની માથાદીઠ આવક છેલ્લાં 4 વર્ષમાં 79,882 પર પહોંચી ગઈ છે. તેમણે જણાવ્યું કે યુપીએના 4 વર્ષના કાર્યકાળની સરખામણીમાં મોદી સરકારે પોતાના 4 વર્ષના કાર્યકાળમાં માથાદીઠ આવકમાં વધારો કર્યો છે.

વિજય ગોયલે આ અંગેના આંકડા આપતા જણાવ્યું કે 2011-12 થી 2014-15 સુધી પ્રતિ વ્યક્તિ માથાદીઠ આવક રુપિયા 67,594 હતી. દેશમાં લોકોની માથાદીઠ આવક 2011-12થી 2014-15 દરમિયાન રૂ. 67,594 થી જે 2014-15 થી નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન રૂ. 79,882 પર પહોંચી છે.

વિજય ગોયલે લોકસભામાં પૂછાયેલા સવાલનો જવાબ આપતાં આ માહિતી આપી હતી. વિજય ગોયલે જણાવ્યું કે 2013-14માં 4.6 ટકાનો વધારો થયો છે. આંકડાઓ પર નજર કરવામાં આવે તો માથાદીઠ આવક 68,572 સુધી પહોંચી ગઈ હતી. 2014-15માં 6.2 ટકાનો વધારા સાથે આંકડા 72,805ના લેવલ પર પહોંચી ગઈ છે. 2015-16માં આ આંકડો 6.9 ટકાથી વધીને 77,826 અને 2016-17માં 82,229ના લેવલ પર પહોંચી છે.