ફિચે ભારતનું આર્થિક વૃદ્ધિદર અનુમાન ઘટાડી 6.9 ટકા કર્યું

નવી દિલ્હીઃ ફિચ રેટિંગ્સે ભારતના જીડીપી વૃદ્ધિદરના અનુમાન 7.4 ટકાથી ઘટાડીને 6.9 ટકા કર્યું છે. ચાલુ નાણાકીય વર્ષ 2017-18ના એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિમાં મોટી પડતી આવ્યા બાદ ફિચ રેટિંગ્સે આ અનુમાન ઘટાડ્યું છે. જો કે ક્રેડિટ રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે નાણાકીય વર્ષના બીજા છમાસિક ગાળામાં આર્થિક ગતિવિધિઓમાં તેજી આવવાની આશા છે.

વર્ષ 2016ના નવેમ્બર મહિનામાં નોટબંધી અને આ વર્ષે જુલાઈમાં જીએસટીના પ્રભાવ સહિત અન્ય કારણોથી આર્થિક ગતિવિધિઓ પ્રભાવિત થઈ છે. ફિચ રેટિંગ્સે પોતાના તાજેતરના વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યમાં કહ્યું છે કે બેંકોમાં વધેલી બિનનિષ્પાદિત પરિસંપત્તિઓના કારણે ઋણ વૃદ્ધિ અને વેપાર નિવેશ માટે સ્થિતઓ કમજોર છે. આ પહેલા એશિયાઈ એડીબીએ પ્રાઈવેટ કંઝપ્શન, મેન્યુફેક્ચરિંગ અને ઈન્વેસમેન્ટમાં કમજોરીના કારણે ગત મહિને દેશના જીડીપીમાં વૃદ્ધિદરના અનુમાન 7.4 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યું હતું.. ભારતનો આર્થિક વૃદ્ધિ દર 2016-17માં 7.1 ટકા રહ્યો હતો.

ફિચ રેટિંગ્સે જણાવ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થા માં આ વર્ષે સુધારો આવ્યો છે અને વર્ષ 2010 બાદ તે તીવ્ર વૃદ્ધિની દિશામાં અગ્રેસર છે. તેણે જણાવ્યું કે ભારતનો જીડીપી વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 5.7 ટકા રહ્યો હતો જે ગત વર્ષના આ સમયગાળાની સરખામણીએ 6.1 ટકા ઓછો છે. વર્ષ 2013ની શરૂઆતથી આ સૌથી કમજોર વૃદ્ધિદર છે તેમ માની શકાય. જીડીપી વૃદ્ધિદર સતત પાંચ ત્રિમાસિક ગાળાથી નીચો જઈ રહ્યો છે.