ક્રિકેટ ગુરુનાં ચરણસ્પર્શ…

દંતકથા સમાન ક્રિકેટર અને ‘ભારત રત્ન’થી નવાજેશ થયેલા સચીન તેંડુલકર 31 ઓક્ટોબર, બુધવારે મુંબઈમાં એમના ભૂતપૂર્વ ક્રિકેટ કોચ અને માર્ગદર્શક રમાકાંત આચરેકરને એમના નિવાસસ્થાને મળવા ગયા હતા અને એમને પગે લાગ્યા હતા. તેંડુલકરની સાથે એમના બાળપણના મિત્ર અને સાથી ક્રિકેટર વિનોદ કાંબલી પણ હતા. મુંબઈમાં 1 નવેમ્બરથી તેંડુલકર-મિડલસેક્સ ગ્લોબલ એકેડેમીની ક્રિકેટ શિબિરોનો આરંભ થઈ રહ્યો છે અને એની સફળતા માટે જ તેંડુલકર એમના ગુરુ આચરેકરના આશીર્વાદ લેવા ગયા હતા.