T20I સિરીઝમાં ભારતનો ન્યૂ ઝીલેન્ડ પર ૨-૧થી વિજય…

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે એક વધુ સિરીઝ વિજય હાંસલ કર્યો છે. આ વખતે એણે ન્યૂ ઝીલેન્ડને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝમાં ૨-૧ પરાસ્ત કર્યું છે. ૭ નવેમ્બર, મંગળવારે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ ગયેલી ત્રીજી અને સિરીઝની છેલ્લી T20I મેચમાં ભારતે ન્યૂ ઝીલેન્ડને ૬-રનથી હરાવ્યું હતું. વરસાદના વિઘ્નને કારણે મેચને ટીમ દીઠ ૮-૮ ઓવરની કરવી પડી હતી. ભારતે ૮ ઓવરમાં પાંચ વિકેટે ૬૭ રન કર્યા હતા. એના જવાબમાં ન્યૂ ઝીલેન્ડની ટીમ ૮ ઓવરમાં ૬ વિકેટે ૬૧ રન બનાવી શકી હતી. ૯ રનમાં બે વિકેટ લેનાર ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ ઘોષિત કરાયો હતો.