પાંચમી વન-ડે જીતવા સાથે ભારતનો 4-1થી શ્રેણીવિજય…

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે 1 ઓક્ટોબર, રવિવારે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન મેદાન પર રમાયેલી પાંચમી અને સિરીઝની છેલ્લી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 7-વિકેટથી જીત મેળવીને સિરીઝ 4-1થી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મીથે ટોસ જીત્યા બાદ એની ટીમે તેના હિસ્સાની 50 ઓવરમાં 9 વિકેટના ભોગે 242 રન કર્યા હતા. તેના જવાબમાં ભારતે રોહિત શર્માના શાનદાર 124 રન, અજિંક્ય રહાણેના 61 અને બંને વચ્ચે 124 રનની ઓપનિંગ ભાગીદારી, વિરાટ કોહલીના 39 રનની મદદથી 42.5 ઓવરમાં 3 વિકેટના ભોગે 243 રન કરીને મેચ જીતી લીધી હતી. રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ અને હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડ દેખાવ બદલ પ્લેયર ઓફ ધ સિરીઝ ઘોષિત કરવામાં આવ્યો છે.