વેસ્ટ ઈન્ડિઝ પર T20I શ્રેણીવિજય…

રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે 11 નવેમ્બર, રવિવારે ચેન્નાઈમાં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ત્રીજી અને શ્રેણીની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 6-વિકેટથી પરાજય આપ્યો હતો અને 3-મેચોની સીરિઝ 3-0થી જીતી લીધી હતી. 92 રન કરનાર શિખર ધવનને મેન ઓફ ધ મેચ અને ચાઈનામેન બોલર કુલદીપ યાદવને મેન ઓફ ધ સીરિઝ ઘોષિત કરવામાં આવ્યો હતો.