રાજપથ પર પરેડનું રીહર્સલ

નવી દિલ્હીઃ 26મી જાન્યુઆરી 2018 એટલેકે પ્રજાસત્તાક દિને દિલ્હીના લાલકિલ્લા ખાતે રાજપથ પર યોજાનારી પરેડનું આજે રીહર્સલ કરવામાં આવ્યું હતું. આ રીહર્સલમાં સેનાના વિવિધ અત્યાધુનિક વાહનો અને મિસાઈલો સાથે સેનાના જવાનોએ રીહર્સલ કર્યું હતું. તો આ સાથે જ ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, લક્ષદ્વીપ, પંજાબ, મણિપુર સહિતના દેશના ઘણાં રાજ્યોની સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતા ટેબ્લો સાથે પણ રીહર્સલ કરવામાં આવ્યું હતું.