રાજ્યપાલે કરી જગન્નાથની પૂજા

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે અડાલજ ખાતે આવેલા ભગવાન જગન્નાથ મંદિરે યોજાયેલા ઉત્સવોમાં જોડાઈને ભગવાન જગન્નાથજીની છેરા પહનરા વિધિ સંપન્ન કરી હતી. ગાંધીનગર નજીકના અડાલજ ખાતે શ્રી જગન્નાથ કલ્ચરલ એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા સંસ્થાના સ્થાપના દિનની ઉજવણી સાથે અહીં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરમાં અષાઢી બીજના પાવન પ્રસંગે વિવિધ ઉત્સવો અને મહાઆરતીનું આયોજન કરાયું હતું. રથયાત્રાના આ પાવન પ્રસંગે ભગવાન જગન્નાથજીની ‘‘છેરા પહનરા’’ વિધિમાં ભક્તિભાવપૂર્વક જોડાઈને રાજયપાલશ્રીએ ભાવના વ્યક્ત કરી હતી કે,  આ ‘‘છેરા પહનરા’’ વિધિ શ્રમની ગરિમાનું પ્રતિક છે.