સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ ખાતે માસીક શિવરાત્રી નિમિત્તે ભગવાન સોમેશ્વરનો દિવ્ય શ્રૃંગાર, અને પૂજા તેમજ જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોમનાથ મહાદેવજીના દિવ્ય દર્શનનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. તો આ મહાપ્રસંગે રાત્રીના સમયે મહાપૂજન અને મહાઆરતી પણ કરવામાં આવી હતી.