GalleryNews & Event સચીન સામેલ થયાં ‘સ્વચ્છતા હી સેવા’માં… September 26, 2017 ‘ભારત રત્ન’ સચીન તેંડુલકર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે અપનાવેલી ‘સ્વચ્છતા હી સેવા’ ઝૂંબેશમાં સામેલ થયા છે. ૨૬ સપ્ટેંબર, મંગળવારે તેઓ મુંબઈમાં બાન્દ્રા (વેસ્ટ)ના બેન્ડસ્ટેન્ડ વિસ્તારના દરિયાકિનારે સફાઈકામ કરીને શ્રમદાનમાં સહભાગી થયા હતા. એમની સાથે એમનો પુત્ર અર્જૂન તેમજ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પણ સામેલ થયા હતા. સચીન તથા અન્યો દોઢ કલાક સુધી બીચ પર રહ્યા હતા અને સફાઈ કરીને ગંદકી દૂર કરી હતી. સચીને કહ્યું કે દરેક નાગરિકે પોતાની જવાબદારી સમજવી જોઈએ. બીચ પર ગંદકી જોઈને દુઃખ થાય છે. સ્વચ્છતા રાખીને આપણે સ્વસ્થ ભારત બનાવી શકીશું. ભારત માતાને આપણે આટલા ગંદા કરવા ન જોઈએ. સચીને સફાઈ ઝૂંબેશમાં સામેલ થવાની નાગરિકોને અપીલ કરી છે.