મોસ્કોમાં ભીષણ વિમાન દુર્ઘટનાઃ 41નાં મરણ…

રશિયાનું એક પેસેન્જર વિમાન 5 મે, રવિવારે મોસ્કોના શેરેમેત્યેવો એરપોર્ટ પર તાકીદનું ઉતરાણ કર્યા બાદ સળગી ઉઠતાં ઓછામાં ઓછા 41 જણનાં કરૂણ મરણ નિપજ્યા હતા. રશિયન બનાવટના સુખોઈ સુપરજેટ વિમાનમાં 78 જણ પ્રવાસ કરતા હતા.