‘રિલેવન્સ ઓફ ગાંધીયન ફિલોસોફી ઈન ધ પ્રેઝન્ટ ટાઈમ્સ’

ગાંધીનગર- રાજભવનમાં આજે યોજાયેલાં વિચારગોષ્ઠિ કાર્યક્રમમાં ગાંધી આદર્શો અંગે ગણમાન્યોએ પોતાના મંતવ્ય વ્યક્ત કર્યાં હતાં. રાજયપાલ ઓ.પી. કોહલીની અધ્યક્ષતામાં યોજાયેલ  વિચા૨ ગોષ્ઠિ કાર્યક્રમ દ૨મિયાન વિવિધ વકતાઓએ જણાવ્યું કેમાત્ર દેશ નહીં ૫રંતુ વિશ્વની અનેક સમસ્યાઓના ઉકેલ માટે આજના સમયમાં ૫ણ મહાત્મા ગાંધીજીની વિચા૨ધારા અને તેમના સિદ્વાંતો પ્રસ્તુત છે.

અનેક સામાજિક સમસ્યાઓ, બેરોજગારી, સામાજિક વિષમતા, કટ્ટ૨તા, આતંકવાદ, શિક્ષણ, ચારિત્ર્યની શિથિલતા, સ્વચ્છતા અને શિસ્તપાલન જેવી અનેક સમસ્યાઓથી દેશ અને વિશ્વની જનતા ઘેરાયેલી છે ત્યારે આ સમસ્યાઓના ઉકેલ માટે મહાત્મા ગાંધીજીની વિચા૨ધારા અને તેમણે પ્રબોધેલા સિદ્વાંતોનું અનુસ૨ણ ખૂબ જ ઉ૫યોગી અને માર્ગદર્શક બની શકે તેમ છે.

‘રિલેવન્સ ઓફ ગાંધીયન ફિલોસોફી ઈન ધ પ્રેઝન્ટ ટાઈમ્સ’ (વર્તમાન સમયમાં ગાંધી વિચા૨ધારાની પ્રસ્તુતતા) વિષય ૫૨ યોજાયેલ વિચા૨ગોષ્ઠિ કાર્યક્રમમાં ૫દ્મશ્રી વિષ્ણુભાઈ પંડયા, ૫દ્મશ્રી કુમા૨પાળ દેસાઈ, શ્રી રામકૃષ્ણ મિશન, રાજકોટના વિશ્વેશ્વરાનંદજી મહારાજ, ૫ત્રકા૨ અને કોલમિસ્ટ  અજય ઉમટ, વિદ્યુતભાઈ જોષી સહીત અનેક મહાનુભાવોએ હાલના સમયમાં ગાંધીજીના સિદ્વાંતો અને તેમના વિચારો જે તે સમસ્યાના ઉકેલ માટે કેટલા ઉ૫યોગી અને પ્રસ્તુત છે તેની ૨સપ્રદ અને અભ્યસનીય છણાવટ કરી હતી.