નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નવી દિલ્હીમાં પીઆઈઓ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને વિદેશ મંત્રાલયના સહયોગમાં ભારતના પીઆઈઓ સંસદસભ્યોના આંતરરાષ્ટ્રીય પરિષદના ઉદઘાટન વખતે સંબોધન કર્યું હતું. આ પરિષદમાં નાણાંપ્રધાન અરૂણ જેટલી, શિવપ્રતાપ શુક્લા અને અન્ય મહાનુભાવો પણ જોડાયાં હતાં.