અમદાવાદઃ રથોનું રંગરોગાન

અમદાવાદઃ અષાઢી બીજે અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરેથી નિકળનારી રથયાત્રા પૂર્વેની તૈયારીઓ મંદિર પરિસરમાં શરુ થઇ ગઇ છે. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા  મંદિર ના પ્રાંગણની સામે ની ઇમારતમાં મુકાયેલા ભગવાન જગન્નાથ , સુભદ્રાજી અને બલરામજીના રથને  દર વર્ષે સમારકામ, સાફ સફાઇ સાથે રંગો થી સજાવવામાં આવે છે. શનિવારની વહેલી સવારે કુશળ કારીગરો દ્વારા રથોનું રંગ રોગાન કરાયું. 

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)