અમદાવાદઃ અષાઢી બીજે અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરેથી નિકળનારી રથયાત્રા પૂર્વેની તૈયારીઓ મંદિર પરિસરમાં શરુ થઇ ગઇ છે. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા મંદિર ના પ્રાંગણની સામે ની ઇમારતમાં મુકાયેલા ભગવાન જગન્નાથ , સુભદ્રાજી અને બલરામજીના રથને દર વર્ષે સમારકામ, સાફ સફાઇ સાથે રંગો થી સજાવવામાં આવે છે. શનિવારની વહેલી સવારે કુશળ કારીગરો દ્વારા રથોનું રંગ રોગાન કરાયું.