જરા યાદ કરો કુરબાની

અમદાવાદઃ કાશ્મીરમાં શહીદ થયેલા અમદાવાદના પ્રદીપસિંહ કુશવાહાના પાર્થિવ દેહને આજે પોતાના વતન અમદાવાદમાં લાવવામાં આવ્યો હતો. અહીંયા પ્રદીપસિંહ કુશવાહાને સેનાના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. અને કરૂણ આક્રંદ વચ્ચે નિકળેલી શહીદની અંતિમયાત્રા બાદ તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.