બજેટ પૂર્વે મોદીની અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક…

વર્ષ 2018ના કેન્દ્રીય બજેટની રજૂઆત પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરી, નવી દિલ્હીમાં દેશના અગ્રગણ્ય અર્થશાસ્ત્રીઓ, અન્ય આર્થિક નિષ્ણાતોને મળ્યા હતા અને પોતાની સરકારની આર્થિક નીતિની પ્રગતિ વિશે એમની પાસેથી સૂચનો મેળવ્યાં હતા. આ બેઠકનું આયોજન નિતિ આયોગ દ્વારા કરવામાં આવ્યું હતું. એમાં 40 જેટલા અર્થશાસ્ત્રીઓએ હાજરી આપી હતી.