નેતન્યાહુ ભારતમાં; ઈઝરાયલ સાથે 9 સમજૂતી કરાશે…

ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહુ છ દિવસના ભારત પ્રવાસ માટે 14 જાન્યુઆરી, રવિવારે નવી દિલ્હી આવી પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર જઈને નેતન્યાહુનું સ્વાગત કર્યું હતું. નેતન્યાહુ અને એમના પત્ની સારા નેતન્યાહુ આગરાનો તાજમહલ જેવા જશે. ઈઝરાયલી વડા પ્રધાન ગુજરાત અને મુંબઈ પણ જવાના છે.