નવરાત્રિમાં એટલે શક્તિની આરાધનાના દિવસો…આ દિવસોમાં માટી માંથી બનેલી નાની કાણાં વાળી મટુકીમાં દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે. આ પ્રગટાવેલા દીપ સાથેની મટુકીને લઇ માતાજીને ગોળ ફરતે શ્રધ્ધાળુઓ ગરબે રમે છે.
જે પંથકમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાય છે, એવા ગામ-શહેરોમાં કળાત્મક દિવડાં અને કાણાં વાળી રંગબેરંગી મટુકીઓ અને ચૂંદડી-હાર જેવી પૂજાની સામગ્રીને બનાવવાની અને વેચાણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
આધુનિક વિજ્ઞાન સાથે જૂની પરંપરા નું જોડાણ થી સમગ્ર ઉત્સવ રંગીન થવાની સાથે અનેરા ઉલ્લાસમાં ફેરવાઇ જાય છે.
તસવીરઃ અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ