અંબાણી પરિવારે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યા…

દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને એમના પત્ની નીતા અંબાણી તથા બંને પુત્રો આકાશ અને અનંતે 25 માર્ચ, રવિવારે મુંબઈના દાદર ઉપનગરમાં આવેલા સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં જઈને દર્શન કર્યા હતા અને આરતીમાં પણ ભાગ લીધો હતો. પરિવારજનોની સાથે ભાવિ પુત્રવધુ શ્લોકા મહેતા પણ હતી. શ્લોકા અને અંબાણીના મોટા પુત્ર આકાશની ગયા શનિવારે ગોવામાં સગાઈ કરવામાં આવી છે.