મુંબઈમાં BPCL પ્લાન્ટમાં આગ લાગી…

મુંબઈના પૂર્વ ભાગમાં આવેલા ઉપનગરો ચેંબૂર અને માહુલમાં આવેલી સરકાર હસ્તકની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) રીફાઈનરીના પ્લાન્ટમાં 8 ઓગસ્ટ, બુધવારે બપોરે લગભગ 3 વાગ્યાના સુમારે બોઈલર ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. દુર્ઘટનામાં કંપનીના 43 કર્મચારીઓ ઘાયલ થયા છે. એમાંના 22 જણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનો અહેવાલ છે. ત્રણ કલાક બાદ અગ્નિશામક દળના જવાનો આગને અંકુશમાં લાવવામાં સફળ થયા હતા. ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના અનેક વિસ્તારોના મકાનો હચમચી ગયા હતા.