રાજ્યને મળી 30 નવી 108 એમ્બ્યુલન્સ…

ગાંધીનગરઃ આજે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા પ્રધાન સૌરભભાઇ પટેલ, આરોગ્ય રાજ્ય પ્રધાન કુમારભાઇ કાનાણીની ઉપસ્થિતિમાં નવી ૩૦ એમ્બ્યુલન્સ વાનનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવીને લોકાર્પણ કર્યુ હતું રાજ્યમાં કાર્યરત 108 એમ્બયુલન્સ સેવા દ્વારા અત્યાર સુધીમાં ૯૩ લાખથી વધુ દર્દીઓને અકસ્માત/બિમાર વ્યક્તિઓને શીફ્ટ કરવામાં આવ્યા છે જેમાં 33 લાખ થી વધુ માતાઓને પ્રસુતિના કેસમાં શીફ્ટ કરવાની કામગીરી કરાઇ છે. સાથે સાથે સગર્ભા માતાઓને પણ 108 દ્વારા સારવાર પૂરી પાડવામાં આવે છે.