કેરળના વાદ્યથી સોમનાથની સૂર આરાધના

વેરાવળ અયપ્પા મંદિર વાર્ષિક પૂજા મહોત્સવ નિમિત્તે કેરાળથી સૌપર્ણીકા કલાક્ષેત્રના મુરલીધરન તથા ટીમ અહીં આવી હતી. આ ગૃપ દ્વારા સોમનાથ મંદિર નૃત્યમંડપ ખાતે ચેન્ડામેલમ્ જે કેરાળાનું પારંપરીક વાદ્ય છે, આ પારંપરીક વાદ્યથી સોમનાથ મહાદેવને સુરઅભિષેક કરેલ હતો.

આ કાર્યક્રમનો લ્હાવો ઉપસ્થીત ભક્તોએ લીધેલ હતો. મુરલીધરન તથા ટીમનું સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.