બદ્રીનાથ કપાટ બંધ, આ બની ઝાંખી..

દીવાળી પુરી થતાંની સાથે લાભ પાંચમથી ચાર ધામની જાત્રા પૂર્ણ થતી હોય છે. કેદારનાથના કપાટ ભાઈબીજના દિવસે બંધ થયા છે, અને બદ્રીનાથના કપાટ આજે શુક્રવારે બંધ થયા.

ઉત્તર ભારતમાં હવામાન પલટાયું છે, અને શિયાળાની ઠંડીએ દસ્તક દીધી છે. બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં બરફની ચાદર પથરાઈ ગઈ છે. યાત્રાળુઓએ મહામુસીબતે છેલ્લા દર્શન કર્યા હતા. અને ત્યાં શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું હતું.