બનાસકાંઠામાં જળ સંચય યોજના

બનાસકાંઠાઃ રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાનથી વહી જતા વરસાદી પાણીને રોકીને ભૂગર્ભ જળ ભંડાર સમૃદ્ધ બનાવવા માટે સંકલ્પબદ્ધ થવા કટીબદ્ધતા દર્શાવી છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન-2018 અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા વાવ તાલુકાના કુંભારડી ગામે તળાવને ઉંડુ કરાવવાના કામનો પ્રારંભ કરાવ્યો હતો.