નેપાળના પીએમ ભારત પ્રવાસે…

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી ભારતના ત્રણ દિવસના રાજકીય પ્રવાસે આવ્યા છે. જ્યાં આજે રાજધાની દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બાદમાં કેપી શર્મા ઓલીએ રાજઘાટ જઈ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નેપાળના વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરવામાં આવ્યું હતું.