કરૂણાનિધિનું નિધન…

તામિલનાડુના પાંચ વખત મુખ્ય પ્રધાન બનેલા અને દ્રવિડ મુન્નેત્ર કળગમ (ડીએમકે) પાર્ટીના પ્રમુખ એમ. કરૂણાનિધિનું 94 વર્ષની વયે 7 ઓગસ્ટ, મંગળવારે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં નિધન થયું હતું. એમના નિધનના સમાચાર બહાર આવતાં એમનાં સમર્થકો ચોધાર આંસુએ રડીને શોક વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.