ગ્રેટર નોઈડામાં મકાન હોનારત…

રાષ્ટ્રીય પાટનગર દિલ્હીની નજીકમાં અને ઉત્તર પ્રદેશમાં આવેલા ગ્રેટર નોઈડા વિસ્તારમાં આવેલા શાહબેરી ગામમાં 18 જુલાઈ, મંગળવારે રાતે બે ગેરકાયદેસર રહેણાંક મકાનો જમીનદોસ્ત થતાં ત્રણ જણનાં મરણ નિપજ્યા છે અને બીજાં અનેક ઘાયલ થયા છે. તૂટી પડેલા બેમાંનું એક મકાન બાંધકામ હેઠળ હતું અને બીજા તૈયાર થઈ ગયેલા મકાનમાં કેટલાક પરિવારો રહેતા હતા. બાંધકામમાં ખરાબ ગુણવત્તાવાળો માલ વાપરવામાં આવ્યો હતો એને કારણે આ દુર્ઘટના થઈ હતી. કાટમાળ નીચેથી અમુક લોકોને બચાવી શકાયા હતા. હોનારતના સંબંધમાં પોલીસે ચાર જણને અટકમાં લીધા છે.