CM રુપાણીએ કરી ખાદીવસ્ત્રની ખરીદી, ડિસ્કાઉન્ટ શરુ

અમદાવાદ– મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગાંધીજી જયંતિ નિમિત્તે ખાદી વસ્ત્રની ખરીદ કરીને ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ ગરીબ પરિવારોના ઘરમાં આર્થિક ઉન્નતિનો ઉજાસ પ્રસરાવ્યો હતો.

વિજય રૂપાણીએ 2 ઓક્ટોબરે અમદાવાદના ગ્રામશિલ્પ ખાદી હાટમાં જઈને ખાદીની ખરીદી કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષે ગાંધી જયંતિએ ખાદીના વસ્ત્રોની ખરીદી કરીને દરિદ્રનારાયણના ઘરમાં આર્થિક આધાર આપવાની શરૂ કરેલી પરંપરાના ભાગરૂપે વિજય રૂપાણીએ પણ આજે ખાદીની ખરીદી કરી પોતાનું યોગદાન આપ્યું હતું.

વિજય રૂપાણીએ ખાદી વસ્ત્ર નહીં વિચાર છે તેવો મત વ્યક્ત કરતા કહ્યું કે ગાંધીજી એ સ્વદેશીની જે હિમાયત કરી હતી તેમાં આ ખાદી એ ગરીબ પરિવારોને આજીવિકાને આવકનું મહત્વપૂર્ણ સાધન બન્યું છે.