પત્રકારોને દાયિત્વ નિભાવવાની સલાહઃ રુપાણી

વડતાલઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ સ્વામિનારાયણ તીર્થધામ વડતાલ ખાતે ભારતીય પત્રકાર સંઘ, નવી દિલ્હી આયોજિત નવમા ત્રિદિવસીય પ્લેનરી સેશનને ખુલ્લું મૂકયું હતું. મુખ્યપ્રધાન રુપાણીએ કહ્યું કે લોકતંત્રના ચાર સ્થંભમાં મિડીયાની ભૂમિકા મહત્વપૂર્ણ છે ત્યારે તેણે પક્ષકાર ન બનતાં જનતા જનાર્દનનો અવાજ-મત નીરક્ષીર વિવેકથી સાચી રીતે રજૂ કરવાનું દાયિત્વ નિભાવવું જોઇએ.