ભાજપે યોજી સંસદીય બોર્ડની બેઠક…

કેન્દ્રીય શાસક ભારતીય જનતા પાર્ટીએ 3 જાન્યુઆરી, ગુરુવારે નવી દિલ્હીમાં પક્ષના મુખ્યાલય ખાતે પક્ષના સંસદીય બોર્ડની બેઠક યોજી હતી અને નેતાઓએ એમાં હાલમાં જ ત્રણ રાજ્યો – છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના થયેલા પરાજય વિષયે ચર્ચા કરી હતી. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષપ્રમુખ અમિત શાહ તથા અન્ય ટોચના નેતાઓએ હાજરી આપી હતી.