પંગુનિ મહોત્સવના ભાગરુપે કાવડયાત્રા

અમદાવાદઃ હાટકેશ્વર સ્થિત બાલમુરુગન દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા મંદિરના ઊતિરમ પંગુનિ મહોત્સવના ભાગરુપે દક્ષિણ ભારતીયો દ્વારા એક કાવડ યાત્રા કાઢવામાં આવી હતી. આ કાવડયાત્રામાં 401 કાવડીઓ અને 101 જેટલા દુધ ભરેલા કુંભને લઈને કાવડયાત્રા કાઢવામાં આવી હતી.