વાતાવરણમાં પલટો

અમદાવાદ– શહેરમાંથી છાને પગલે વિદાય લઇ રહેલો શિયાળો ભૂલો પડે તેવી શક્યતા છે.ઊનાળાને બાયપાસ કરી ચોમાસુ વરસી પડે તેવા વાદળો આજે શહેરના આસમાનમાં જોવા મળ્યાં છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતાં ઠંડીની ચમક થોડી તેજ બની હતી તો આસમાનમાં વિહરતાં પંખીઓ માટે જાણે આહલાદક દ્રશ્ય સર્જાયું હતું અને સહેલનો આનંદ માણવા લાગ્યાં હતાં.