શ્રાવણના અંતિમ દિવસે સોમનાથમાં ભક્તોની ભીડ

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે શ્રાવણ માસના અંતિમ દિવસે સોમનાથ મહાદેવના આંગણે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી. તો સાથે જ શ્રાવણી અમાસના દિવસે ત્રીવેણીમાં સ્નાન કરવાનું પણ ખૂબ મહાત્મ્ય છે ત્યારે ત્રીવેણીમાં સ્નાન કરવા માટે પણ ભક્તોની ભીડ જામી હતી. તો આ સાથે જ સોમનાથ મહાદેવનો વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો હતો જેને જોઈને ભક્તોએ ધન્યતાની લાગણી અનૂભવી હતી.