સુરત નાઈટ મેરેથોનમાં લોકો ઉત્સાહપૂર્વક દોડ્યા…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રુઆરી, રવિવારે રાતે સુરતમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ‘રન ફોર ન્યુ ઈન્ડિયા’ સુરત નાઈટ મેરેથોનને ફ્લેગ્સ ઓફ્ફ કરી હતી. તે રેસમાં હજારો લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વડા પ્રધાન મોદીએ એમના સંબોધનમાં લોકોનાં ઉત્સાહને ‘તંદુરસ્ત ભારત’ના નિર્માણના પ્રયાસોમાં ઉમેરા તરીકે ગણાવ્યો હતો.