ગુજરાત દીપોત્સવી અંકનું વિમોચન

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરમાં ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૭૩નું વિમોચન કર્યું હતું, આ પ્રંસગે તેમણે જણાવ્યું હતું કે, ઉત્સવો અને પર્વો વૈવિધ્યસભર જીવનના નવઉન્મેષ છે. પ્રકાશનું એક નાનકડું કિરણ ઘોર અંધકારને ભેદવા માટે પૂરતું છે. પ્રત્યેક તહેવારનું આગવું સૌન્દર્ય હોય છે. તહેવારો સંદેશો આપતાં હોય છે કે, જીવન ખૂબ સુંદર અને અણમોલ ઐશ્વરીય ભેટ છે. દિપાવલીનો પર્વ એ જ્ઞાન અને પ્રકાશ સાથે વિકાસનો સમન્વય સાધી આનંદની ત્રિવેણીનો અવસર છે. સૌ ગુજરાતીઓનો પ્રેમ અને આશીર્વાદ એ ગુજરાતની પ્રગતિનું ચાલક બળ છે એમ તેમણે તેમણે વધુમાં ઉમેર્યું હતું. ગુજરાત દીપોત્સવી અંક વિમોચન પ્રસંગે માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અશ્વિનીકુમાર, માહિતી નિયામક નલિન ઉપાધ્યાય, અધિક માહિતી નિયામક અરવિંદભાઈ પટેલ, સંયુક્ત માહિતી નિયામક પુલક ત્રિવેદી તેમજ માહિતી ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.