ભગવાન શિવના ચિત્રોનું પ્રદર્શન

અમદાવાદના જોધપુરમાં આવેલ અનુપમેશ્વર મહાદેવમાં મહાશિવરાત્રિના શુભ દિવસે ભગવાન શિવના ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. શિવ ભક્ત હસમુખ પટેલની અનન્ય શિવ ભક્તિએ તેમને આ ચિત્રો દોરવા પ્રેર્યા હતા. હસમુખ પટેલે ભગવાન શિવના ચિત્રોનું પ્રદર્શન બાર જ્યોર્તિલિંગના સ્થળ પર યોજી ચુક્યા છે, હવે તેઓ દર મહાશિવરાત્રિએ ગુજરાતના એક મહાદેવમાં શિવ ચિત્રોનું પ્રદર્શન યોજશે. અનુપમેશ્વર મહાદેવમાં યોજાયેલ ચિત્ર પ્રદર્શનને ખુબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ નિહાળ્યું હતું. (તસ્વીર- પ્રજ્ઞેશ વ્યાસ)