દિવ્યાંગો સોમનાથ દર્શને…

સોમનાથ– પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે આજરોજ જામનગરના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના દિવ્યાંગ ભાઇબહેનોએ સોમનાથ મહાદેવના દર્શન, જલાભિષેક કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવ્યાં હતાં. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેઓ માટે રહેવા,જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.