ગરીબોને રસપુરીનું વિતરણ

ગુરૂકૃપા ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદાગુરૂ અજરામરજી સ્વામીનાં ૨૬૫માં જન્મદિવસ નિમિત્તે ૨૩મી મે, ૨૦૧૮નાં રોજ અમદાવાદમાં ઝુપડપટ્ટી વિસ્તારમાં રસ-પૂરી, શાક અને પુલાવનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુરૂકૃપા ફાઉન્ડેશન દ્વારા પાંજરાપોળની ગાયોને રૂબરૂ જઈને ઘાસ, ખોળ અને ગોળ ખવડાવામાં આવે છે અને દર શનિવારે અમદાવાદનાં વિવિધ ઝુપડપટ્ટી વિસ્તારમાં વઘારેલી ખીચડી તો ક્યારેક ફ્રુટ-જ્યૂસ અને ભાજીપાઉંનું વિતરણ કરવામાં આવે છે.