મતદાન કરવાનો સામૂહિક સંકલ્પ

અમદાવાદના ઘોડાસરમાં વિશ્વકર્મા મહાપુરાણ કથાના પ્રારંભ થયો છે. મેવાડા સુથાર, લુહાર, સુથાર, સોની, કડિયા વગેરે સમાજના હજારો શ્રોતાઓએ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીની ઉપસ્થિતીમાં અને સામાજિક કાર્યકર હર્ષદ પટેલે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 14 ડિસેમ્બરે અચુક મતદાન કરવાનો સામુહિક સંકલ્પ કરાવ્યો હતો, અને વધુમાં વધુ મતદાન માટે આગળ આવવા માટે આહ્વાન કર્યું હતું.