જ્હાન્વી કપૂરે જન્મદિવસે વારાણસી મંદિરમાં દર્શન કર્યાં…

નવોદિત બોલીવૂડ અભિનેત્રી જ્હાન્વી કપૂરે ગઈ 6 માર્ચે પોતાનો 22મો જન્મદિવસ ઉજવ્યો હતો. જન્મદિવસ નિમિત્તે એણે વારાણસીનાં કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા જવાનું પસંદ કર્યું હતું. ધડક ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી અને હવે એની ફિલ્મ આવી રહી છે કારગીલ ગર્લ. એના શૂટિંગ માટે એ વારાણસી આવી છે. શહેરમાં એણે ટોમેટો ચાટ સ્ટ્રીટ ફૂડ ખાવાની મજા પણ માણી હતી.